ભારત ગણરાજ્યની સરકાર તેમજ બ્રુનેઇ દરુસ્સ્લામની સરકાર વચ્ચે કરના સંદર્ભમાં માહિતી અને સહાયના આદાનપ્રદાન માટે થયેલી સમજૂતી (જેને હવેથી અહીં કરાર તરીકે વર્ણવામાં આવશે) પર 28મી ફેબ્રુઆરી, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારને ધ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં (એક્સ્ટ્રાઓર્ડીનરી) 9મી માર્ચ 2020ના દિવસે અધિસૂચિત કરવામાં આવ્યો છે.
આ કરાર બંને દેશો વચ્ચે કરના સંદર્ભમાં માહિતીનું, જેમાં બેન્કિંગ અને માલિકી અંગેની માહિતી પણ સામેલ છે, આદાનપ્રદાન શક્ય બનાવે છે. તે કર પારદર્શિતા અને માહિતીના આદાનપ્રદાનના આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર આધારિત છે અને તે વિનંતી પર માહિતીની વહેંચણી તેમજ માહિતીના સ્વચાલિત આદાનપ્રદાનને શક્ય બનાવે છે. આ કરાર એક દેશના પ્રતિનિધિને બીજા દેશમાં કરની ચકાસણી હાથ ધરવાની સુવિધા પણ આપે છે. આ ઉપરાંત, તે કરના દાવાઓને એકઠા કરવામાં પણ મદદ પૂરી પાડે છે.
આ કરાર ભારત અને બ્રુનેઇ દરુસ્સ્લામ વચ્ચે કરની બાબતોમાં માહિતીના આદાનપ્રદાન માટે અસરકારક માળખું પૂરું પાડવામાં આપવામાં આવતા સહકારને વધારશે જેથી કરચોરી અને કરની અવગણનાને રોકવામાં મદદ થશે.
(સ્ત્રોત: પીઆઈબી, ભારત સરકાર)
નોંધ: ઉપરોક્ત માહિતીનો સ્ત્રોત મેસેજના અંતે આપવામાં આવ્યો છે.
કોઇપણ પ્રકારના પ્રશ્ન અથવાતો ટિપ્પણી માટે એસોચેમની લાગતીવળગતી કાઉન્સિલનો સંપર્ક સાધવો.