દુનિયાની દિગ્ગજ આઇટી કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાના સ્કૂલના દિવસોમાં પ્રિય વિષય ઇતિહાસ હતો. આ વાતનો ખુલાસો તેમણે દિલ્હીમાં હુધવારે એક કાર્યક્રમ દરમિયાન કર્યો છે. ત્યાં જ એક પ્રશ્નનાં જવાબમાં તેમણે ક્રિકેટને પોતાની પસંદગીની રમત ગણાવી. જોકે પસંદગીના ક્રિકેટર- સચિન તેંદુલકર અથવા વિરાટ કોહલીના સવાલ પર તેમણે કહ્યું સચિન કાલે હતા અને વિરાટ આજે છે.
નડેલાએ પોતાની પુસ્તક ‘હિટ રિફ્રેશ’માં રમત પ્રત્યેની પોતાની રૂચી વિશે પણ જણાવ્યું છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કેવી રીતે તેમના અંગત અને પ્રોફેશનલ જીવનમાં રમતનો પ્રભાવ રહ્યો છે. તેમણે પોતાની પુસ્તકમાં લખ્યુ છે કે, તેમના દિમાગમાં હંમેશા એક સુંદર રમત હોય છે. રમતમાં જીતની ખુશીઓ, સુંદર યાદો, રમત દરમિયાન નાટકીય સ્થિતિ, જટિલતા અને ઉતાર-ચઢાવ વિશે તેઓ અનંત સંભાવનાઓ જુએ છે.
સત્ય નડેલાએ અનિલ કુંબલે સાથેની પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. નડેલાએ કહ્યું કે કુંબલેએ તેમના બોલ પર સિક્સર ફટકારી હતી. તેમણે કહ્યું કે, કુંબલેએ તેમને તેમનું સપનું જીવવાની તક આપી હતી. તમને જણાવી દઇએ કે, ભારતીય મૂળના માઇક્રોસોફ્ટના સીઇઓ નડેલા હાલમાં ભારત પ્રવાસે છે. આ દરમિયાન બુધવારે નવી દિલ્હીમાં દેશના ગણા બિઝનેસમેન લીડર અને ટેક્નોક્રેટ્સથી મળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સોઉર્સ: સંદેશ